• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:નવયુગ શૈક્ષણિક સંકુલનો ભવ્ય સિતારે નવયુગ કાર્યક્રમ: સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ*

*નવયુગ શૈક્ષણિક સંકુલનો ભવ્ય સિતારે નવયુગ કાર્યક્રમ: સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ*

મોરબી: આજરોજ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન – મોરબી દ્વારા શ્રી પી.ડી. કાંજીયા સાહેબની પ્રેરણાથી ભવ્ય “સિતારે નવયુગ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શિક્ષણ, સંસ્કાર અને રાષ્ટ્રભાવનાનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી મોતા સાહેબ, પૂર્વ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી રાણીપા સાહેબ, શ્રી વિડજા સાહેબ, આર.એસ.એસ. પ્રાંત પ્રચાર પ્રમુખ શ્રી વિપુલભાઈ અઘારા, જિલ્લા કાર્યવાહ શ્રી મહેશભાઈ બોપલિયા, બિલ્ડર એસોસિએશન પ્રમુખ શ્રી સંતોષભાઈ શેરસિયા, VHP જિલ્લા અધ્યક્ષ શ્રી જિલેશભાઈ કાલરિયા, જિલ્લા શૈક્ષિક સંઘ અધ્યક્ષ શ્રી દિનેશભાઈ વડસોલા, ઉપાધ્યક્ષ શ્રી સંદીપભાઈ અદ્રોજા તથા કેળવણી નિરીક્ષક શ્રી નિલેશભાઈ કૈલા ,નવયુગ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રમુખશ્રી રંજનબેન પી.કાંજીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ રંગારંગ અને સંદેશાત્મક સાંસ્કૃતિક કાર્યક્રમોની અદ્ભુત રજૂઆત કરવામાં આવી હતી. જેમાં ગણપતિ સ્તુતિ, બોલીવુડ ડાન્સ, “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” પર આધારિત નાટ્ય પ્રસ્તુતિ, હનુમાન ચાલીસા, દોસ્તીની ધમાલ ડાન્સ, મહાભારતના ધર્મ સંસ્થાપન પર આધારિત અંતિમ અધ્યાય, ઓપરેશન સિંદૂર, વીર બાલ સાહેબજાદા, અરુણિમા સિન્હાની પ્રેરણાદાયક ગાથા, રંગભીની રાધા, બિરસા મુંડા નાટક, યોગ પ્રદર્શન, “દીકરી વ્હાલનો દરિયો” તેમજ વિદ્યાર્થીના અંતરમનની લાગણીઓને વ્યક્ત કરતી સ્પીચ ક્રિષ્ન કાંજિયા દ્વારા રજૂ કરવામાં આવી હતી
.
આ સાથે કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોના ઉત્કૃષ્ટ પ્રદર્શનને બિરદાવતા વિવિધ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં ખાસ કરીને બેસ્ટ ટીચર એવોર્ડ, બેસ્ટ એક્ટિવિટી એવોર્ડ, બેસ્ટ એજ્યુકેશન એવોર્ડ, તેમજ એસ.એસ.સી. અને એચ.એસ.સી.માં ઉત્તમ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ્સ દ્વારા પ્રતિભા, મહેનત અને પ્રતિબદ્ધતાને યોગ્ય માન્યતા આપવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમનું સુચારૂ આયોજન અને સંકલન મેનેજિંગ ટ્રસ્ટી શ્રી બળદેવભાઈ સરસાવડિયા તેમજ પ્રિન્સિપાલ યતીન રાવલ અને તમામ સ્ટાફમિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું, જેના પરિણામે કાર્યક્રમ અત્યંત ભવ્ય અને યાદગાર બની રહ્યો હતો.

Related posts

*HELLO MORBI:મોરબી માં રાજકોટ થી ૮-અ નેશનલ હાઈવે બાય પાસ થી લીલાપર સુધીનો કેનાલ ની બીજી બાજુ ના રોડ નું અધૂરું કામ જલ્દી પૂરું કરવા રજૂઆત*

editor

*મોરબી અમૃતિયા પરિવાર દ્વારા ચાલતી ભાગવત કથા માં રામજીભાઈ મોકરીયા તેમજ રાજ્યના પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલે કથા શ્રવણ નો લાભ લીધો હતો*

Hello Morbi

*કુદરત ના કહેર વચ્ચે માનવતા ની મહેર પ્રસરાવતુ મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર*

Hello Morbi

Leave a Comment