
મોરબી : મોરબીમાં બિપરજોય વાવાઝોડાની અસરને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે જલારામ પ્રાર્થના મંદિરના આગેવાન નિર્મિત કક્કડ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે જિલ્લામાં સ્થળાંતર કરવામાં આવેલ લોકોને બે ટાઈમ ભોજનની વ્યવસ્થા કરવા સંસ્થા સજ્જ છે. તંત્ર દ્વારા માત્ર બે કલાક અગાઉ જાણ કરવામાં આવશે એટલે ગમે તેટલા અસરગ્રસ્તો હશે. સંસ્થા તેમને ભોજન કરાવી દેશે.
