મોરબી : કાંતાબેન વાલજીભાઈ હિરાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં સેવા કાર્યો હાથ ધરવામાં આવે છે. તાજેતરમાં જ મકરસંક્રાતિ નિમિત્તે નવલખી રોડ, કેનાલ રોડ, પુલની નીચે વગેરે વિસ્તારોમાં જરૂરિયાતમંદ બાળકોને નાસ્તો તેમજ પતંગ દોરાનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ વિતરણ કાર્યમાં કિશોરભાઈ હિરાણી, નિતીનભાઈ સેતા, રાજુભાઈ માધાણી, હર્ષલ ખખ્ખર, અનુજ માધાણી, માધવ હિરાણી, નિહાન બુધ્ધદેવ, વ્યોમ પુરોહિત તેમજ ડેવીડ હિરાણીએ જહેમત ઉઠાવી હતી. સાથે આર્થિક સહકાર દિપકભાઈ ભોજાણી, ધીરુભાઈ હિરાણી તથા નિલેશભાઈ ખખ્ખર તરફથી આર્થિક સહકાર મળ્યો હતો.
