ગુજરાત રાજ્યના સંવેદન સીલ મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી નો આભાર માનતા ધ્રોલ તાલુકા ભાજપ ના પૂર્વ પ્રમુખ રાજભા જાડેજા……
ધ્રોલ તાલુકા ના આઠ ગામો ની અંદર દિવસ દરમ્યાન ખેડૂતો ને વીજળી આપવા બદલ આદરણીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નો હ્ર્દય પૂર્વક આભાર.એક શરૂવાત આદરણીય દેશ ના વડાપ્રધાન મોદી સાહેબે કરી હતી કે ગામડા ઓ માં જિયોતિ ગ્રામ યોજના ની શરૂવાત કરી હતી અને આજ ફરી વાર ખેડૂતો માટે સૂર્યોદય યોજના ની બીજી શરૂવાત ગુજરાત ના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ કરી છે તાજેતરમાં ગુજરાત ભર માં ભારતીય જનતા પાર્ટી ની રૂપાણી સરકાર દ્વારા ખેડૂતો માટે કિસાન સુર્યોદય યોજના નો આરંભ કરવા માં આવ્યો છે ત્યારે આ યોજના નો લાભ આપવા માટે ધ્રોલ તાલુકાના. મોટા વાગુદળ.નાના વાગુદળ.લતિપર. હરિપર. ભેષદળ.છલાં.સણોસરા. માણેકપર.એમ કુલ આઠ ગામો માં આ સૂર્યોદય યોજના નો આરંભ કરવા માં આવ્યો છે. હવે પછી ધ્રોલ તાલુકાના આ ગામો માં રાત ના પાણી વારવા જવાના પ્રશ્નો નો હલ થઈ જશે રાતે ઝેરી જાનવરો નો ભય નહીં રહે. ખેડૂતો રાતે આરામ થી સુઈ શકશે. માતા ઓ બહેનો ને રાતે જિયારે પતિ કે ભાઈ વાડીએ જાય ત્યારે જે ચિંતા રહેતી તે હવે નહીં રહે.કિસાન સૂર્યોદય યોજના ખેડૂતો માટે એક નવા સૂર્યોદય ની શરૂવાત છે.ધ્રોલ તાલુકાના આઠ ગામ ના ખેડૂતો ને આ યોજના નો લાભ આપવા બદલ પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ રાજભા જાડેજા દ્વાર આદરણીય અને સંવેદનશીલ મુખ્યમંત્રી નો આભાર માનવા માં આવ્યો હતો અને સાથે સાથે ધ્રોલ તાલુકાના બીજા ગામો ને પણ આ યોજના નો તાત્કાલિક લાભ મળે તે માટે અપીલ કરવા માં આવી છે
