મોરબી : મોરબીના મકરાણીવાસ નજીક રામઘાટ પાસે મુસ્લિમ યુવકની છરીના ઘા ઝીકી હત્યા કરી નાખવામાં આવી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ રફીક અબાસભાઈ શાહમદાર(ઉ.વ26) રહે. કાલિકા પ્લોટ નામના યુવાનની મકારણી વાસ નજીક આવેલા રામઘાટ પાસે છરીના ઘા ઝીકી દેવાતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં મૃત્યુ નિપજતા હત્યા અંગે ગુન્હો નોંધી હત્યા કરનાર શખ્સોને ઝડપી લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
