અધિક કલેક્ટર શ્રી રાજેન્દ્ર સરવૈયા. જામનગર ખાતે આજરોજ કલેકટર રવિશંકર અને અધિક કલેકટર રાજેન્દ્ર સરવૈયાએ કોરોના પ્રતિરોધક રસી મુકાવી, રસી સુરક્ષિત છે તેમ પ્રેરણાત્મક સંદેશ આપ્યો હતો. હાલ જામનગર ખાતે ફ્રન્ટલાઈન વોરિયર્સ અને 50 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને રસી મૂકી સુરક્ષિત કરવા માટે ઝુંબેશ ચાલુ છે, આ રસીકરણ ઝુંબેશને જામનગરના નાગરિકો દ્વારા બહોળો હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. આ તકે કલેકટર રવિશંકરે કહ્યું હતું કે, રસી એકદમ સુરક્ષિત છે, રસીકરણની સંપૂર્ણ પ્રક્રિયા ખૂબ જ તાલીમબદ્ધ સ્ટાફ દ્વારા કરવામાં આવે છે અને આ રસીની કોઈ આડઅસર જોવા મળી નથી. જામનગરના અન્ય નાગરિકો પણ કોઈ ડર વગર રસી મુકાવી જામનગરને સુરક્ષિત બનાવવામાં સહયોગ આપે તેમ જિલ્લા અનુરોધ કર્યો હતો…..
શરદ એમ.રાવલ..
હડિયાણા.8160670219
કલેક્ટર શ્રી રવિશંકર
