

*મોરબી જીલ્લા ડી.ડી.ઓ. શ્રી ભગદેવ સાહેબ ની પ્રેરક ઉપસ્થિત મા ત્રિવિધ કાર્યક્રમો યોજાયા*

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી દ્વારા પ્રતિવર્ષ પાટોત્સવ ની ઉજવણી ધામધૂમ થી ભક્તિભાવ પૂર્વક કરવા મા આવે છે ત્યારે પ્રવર્તમાન સમયે કોરોના ની મહામારી ના પગલે મંદિર ના ચર્તુદશમ્ પાટોત્સવ નિમિતે મર્યાદીત આયોજન કરવા મા આવ્યુ હતુ. જે અંતર્ગત કોરોના મા મૃત્યુ પામનાર દીવંગતો ના આત્મા ના શાંતિ અર્થે શ્રી જલારામ ધુન મંડળ-મોરબી (ઘનશ્યામભાઈ પુજારા તથા નિતિનભાઈ સેતા) દ્વારા ધુન-ભજન તેમજ ટંકારા આર્યસમાજ દ્વારા વૈદિક મહાયજ્ઞ યોજવા મા આવ્યો હતો. તે ઉપરાંત પ્રસાદ નુ આયોજન કરવા મા આવ્યુ હતુ. આ તકે મોરબી જીલ્લા ડી.ડી.ઓ શ્રી ભગદેવ સાહેબ, શ્રી રઘુવંશી યુવક મંડળ-મોરબી ના પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ સેતા તથા સદસ્યો, સમસ્ત પોપટ પરિવાર ના અગ્રણી શ્રી પ્રફુલ્લભાઇ પોપટ, નરેન્દ્રભાઈ પોપટ, સી.પી.પોપટ, શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન-મોરબી ના મંત્રી શ્રી અશોકભાઈ પાવાગઢી, શ્રી લોહાણા મહાજન-મોરબી ના અગ્રણી શ્રી ગીરીશભાઈ ઘેલાણી,નવીનભાઈ રાચ્છ, હરીશભાઈ રાજા, ચંદ્રવદનભાઈ પુજારા,જે.આઈ.પુજારા, ભગવાનજીભાઈ પટેલ (ગુરુકૃપા હોટલ), કીશોરભાઈ ચંડીભમર, આપાભાઈ કુંભરવાડીયા સહીત ના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ ને સફળ બનાવવા શ્રી રઘુવીર સેના સાર્વજનિક-ટ્રસ્ટ, શ્રી જલારામ સેવા મંડળ, શ્રી જલારામ મંદિર મહીલા મંડળ સહીત ની સંસ્થા ના અગ્રણીઓ એ જહેમત ઉઠાવી હતી.

લી.
નિર્મિત કક્કડ
પ્રમુખ
શ્રી જલારામ સેવા મંડળ
મોરબી.
