
ગરીબ માણસોને ઉપયોગી તથા અનિવાર્ય હોય તેવી મુખ્યમંત્રી અમૃતમ યોજના ની જુની એજન્સીને કોઇ કારણ વગર રદ કરી તેની જગ્યા એ અણ આવડત વાળા તંત્રના માણસોને ગોઠવતા આજે અનેક લોકોને આ યોજનાને કારણે વંચિત રહેવુ પડ્યુ છે આજે અનેક લોકો હોસ્પિટલ અમૃતમ કાર્ડ નીકળે તેની રાહ જોઇને બેઠા છે તથા અનેક લોકોને દેવુ કરીને હોસ્પીટલને પૈસા ચુકવવાની ફરજ પડી છે અમૃતમ કાર્ડની કામગીરીમા અણ આવડત વાળા ઓપરેટરો હટાવી રાબેતા મુજબ ચાલુ થાય તેવી માગણી પ્રજા મા ઉઠી છે. ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા તારીખ ૩-જુન-૨૦૨૧ થી ઓપરેટરો ને નવા આઇડી આપી દિધેલા છે પરંતુ હજી પણ કામગીરી શરુ થઇ શકી નથી
