મોરબી :તા૪ મોરબીના સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા ગઈકાલે તારીખ 3 ને ગુરૂવારના રોજ સમાજના કાર્યાલય ખાતે. મોરબી જિલ્લાના વિવિધ ૩૩ જમાત ના પ્રમુખશ્રીઓની ઉપસ્થિતિમાં ગોઝારી ઝૂલતા પુલ દુર્ઘટનાના તમામ હતભાગીઓને અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને રાહત તેમજ બચાવની કામગીરી કરનાર તમામ સ્થાનિક લોકો, પોલીસ કર્મઓ, હોસ્પિટલો, સરકારની વિવિધ એન્જસીઓ સહિતના તમામની કામગીરી બિરદાવી હતી અને એ બધાનો માનવ સેવા કરવા બદલ આભાર પણ માન્યો હતો
આ ઝૂલતાપૂલ દુર્ઘટનાના ૧૩૫ થી પણ વધુ દિવગંતોને વિશાળ જન સમુદાય દ્વારા અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી . ત્યારે મોરબીના સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા આ હોનારતના હતભાગીઓના આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ પુલ દુર્ઘટનાના દિવગંતોના આત્માની શાંતિ માટે અલ્લાહ સમક્ષ દુઆ કરી હતી અને સુન્ની મુસ્લિમ સમાજે આ દુર્ગભાગ્યપૂર્ણ ઘટનામાં શોકમગ્ન થઈને તમામ હતભાગીઓની પડખે રહીને આ દુઃખદ ઘટના અંગે ઉડા શોક સાથે આઘાત વ્યક્ત કર્યો હતો. તેમજ રાહત તેમજ બચાવની કામગીરી સ્થાનિક લોકો તેમજ પોલીસ, હોસ્પિટલો, સરકારની વિવિધ એન્જસીઓ સહિતના તમામની કામગીરી બિરદાવી હતી અને તમામનો આભાર વ્યક્ત કર્યો હતો
