શરદ એમ.રાવલ.. હડિયાણા..

જોડિયા તાલુકા ની શ્રી જીરાગઢ પ્રાથમિક શાળામાં શિક્ષકદિન ની ઉજવણી
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.રાધાકૃષ્ણ સર્વપલ્લી નો જન્મદિવસ 5મી સપ્ટેમ્બર ના દિવસે શિક્ષકદીન તરીકે ઉજવવામાં આવે છે જે અંતર્ગત આજરોજ જામનગર જિલ્લાના જોડિયા તાલુકા ની શ્રી જીરાગઢ પ્રથમિક શાળામાં શિક્ષકદિન ની ઉજવણી કરવામાં આવી શાળાના વિદ્યાર્થી ભાઈ -બહેનો દ્વારા સહપાઠીઓને ભણાવ્યા જેમાં 6 બહેનો તેમજ 11 ભાઈઓએ ભાગ લીધો હતો દરેક બાળશિક્ષકોએ આયોજન મુજબ અભ્યાસ કરાવ્યો સમગ્ર કાર્યક્રમ નું સંચાલન શાળા ના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ બાળકોએ કર્યું હતું આ દિવસે વાલી શ્રી પોપટ ભાઈ દ્વારા બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું તેમજ શાળાના આચાર્ય શ્રી રાજેશભાઈ ડાંગર દ્વારા ગુરુજનો ને સમર્પિત ધૂન ગવડાવવામાં આવી તેમજ દરેક બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા…..


