
સમગ્ર વિશ્ર્વના લોહાણાઓના સંગઠન અને કલ્યાણ અર્થે કાર્યરત વિશ્ર્વ લોહાણા મહા પરિષદની જીવદયા સમિતિના ઉતર ગુજરાત ઝોનના હોદેદારોની તાજેતરમાં વરણી કરવામાં આવી છે.વિશ્ર્વ લોહાણા મહા પરિષદના પ્રમુખ સતીશભાઈ વિઠલાણી,વરિષ્ઠ ઉપપ્રમુખ ધર્મેશભાઈ હરિયાણી,મંત્રીઓ હરીશભાઈ ઠકકર,ડો.સુરેશભાઈ પોપટ,ખજાનચી વસંતભાઈ અનારકટ વિગેરેએ જીવદયા સમિતિના રાષ્ટ્રીય ચેરમેન નરેશભાઈ ઠકકર(બેચરાજી) તેમજ ઉતર ગુજરાત ઝોન-6 ના અધ્યક્ષ ભગવાનભાઈ બંધુ સાથે જરૂરી ચર્ચાવિમર્શ કરી જીવદયા સમિતિ ઉતર ગુજરાતના ઝોન અધ્યક્ષ તરીકે ભાભરના સુરેશભાઈ રંગોલી તેમજ મંત્રી તરીકે હિતેશભાઈ મયારામભાઈ ઠકકરની વરણી કરેલ છે.
જ્યારે બનાસકાંઠા રીજીયન ચેરમેન તરીકે રોનકભાઈ ઠકકર(પાંથાવાડા),મંત્રી તરીકે રોહિતભાઈ ઠકકર(ધાનેરા),પાટણ રીજીયન ચેરમેન તરીકે પપુભાઈ માનસી(રાધનપુર),મંત્રી તરીકે મુકેશભાઈ જે ઠકકર(વારાહી) ,ગાંધીનગર રીજીયન ચેરમેન તરીકે વિનોદભાઈ ઉડેચા(ગાંધીનગર) તેમજ મંત્રી તરીકે નરેશભાઈ ડી.કોટક(હિંમતનગર) ની વરણી કરવામાં આવી છે.તમામ હોદેદારો ગૌસેવા,જીવદયા અને ગૌશાળાના પૂન્યશાળી સત્કાર્યો સાથે સંકળાયેલા છે..
