અહેવાલ: આરીફ દિવાન સાથે કે.જી.નવતાણી મોરબી

“સ્થાનિક ધારાસભ્ય સંસદ સભ્યો મુખ્યમંત્રી ની જેમ માર્ગોનું નિરક્ષણ ક્યારે કરશે?”
તાજેતરમાં જ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અમદાવાદ રાજકોટ ૬ માર્ગીય હાઇવેની કામગીરી અંતર્ગત નિરીક્ષણ કર્યું છે ત્યારે મોરબી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ગ્રામ્ય વિસ્તારોની જોડતા માર્ગો અક્સમાત જનક બન્યા છે મોટાભાગના માર્ગો પર અનામત માંગી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લાના ટંકારા થી વાંકાનેર તરફ જતો માર્ગ અમરાપર ટોળ જે તમારાથી માત્ર નવ કિલોમીટરના અંતરમાં આવેલો છે તે માર્ગ અતિ જોખમી બન્યો હોય તેમ સ્થાનિક લોકો તેમજ વાહન ચાલકો અનુભવી રહ્યા છે છતાં પ્રજાના પ્રતિનિધિઓ મુખ્યમંત્રી ની જેમ તેના મત વિસ્તારમાં જોખમી માર્ગોની મજબૂત કરાવી મતદાર પ્રજાને હાલાકી મુક્ત કાર્ય કરવું જોઈએ પરંતુ મોરબી શહેર-જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ચૂંટાયેલા ધારાસભ્યો સંસદ સભ્યો સરપંચો જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સદસ્યો સભ્યો પ્રજા ચિંતક કાર્યમાં સતત નિષ્ફળ નીવડયા હોય તેના પરિણામે માત્ર નવ કિલોમીટરના અંતરમાં જોખમી અકસ્માત જનક ગાબડા ધારી માર્ગ વાહનચાલકો અને સ્થાનિક રહીશોને માટે જોખમી બન્યો છે જે તસવીરમાં નજરે પડે છે ત્યારે સ્થાનિક ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીની જેમ માર્ગોનું નિરીક્ષણ કરી પોતાના મતવિસ્તારમાં માર્ગો મજબૂત બને તેવું કાર્ય ક્યારે કરશે? એવો પ્રશ્ન હાલ વાહનચાલકોમાં ઉઠવા પામ્યો છે

