શરદ એમ.રાવલ.
હડિયાણા.
જામનગર જિલ્લાની જોડિયા તાલુકાની શ્રી હડિયાણા કન્યા શાળામાં આજરોજ આઝાદીકા અમૃત મહોત્સવ સંદર્ભે “એક ભારત શ્રેષ્ઠ ભારત” અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગરબા નૃત્ય, રાજસ્થાની નૃત્ય, આદિવાસી નૃત્ય, કર્મા નૃત્ય વગેરે પ્રકારના નૃત્યો અને વેશભૂષા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, ભગતસિંહ, ગાંધીજી, ગોવાળિયા, પોલીસમેન, વકીલ, ડોક્ટર, વગેરેની વેશભૂષા રજૂ કરી હતી. આ સ્પર્ધામાં શાળાની ધોરણ ૧ થી ૮ ની વિદ્યાર્થીની બહેનોએ ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના મદદનીશ શિક્ષક સુરેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું. સ્પર્ધાના અંતે વિજેતા બહેનોની શાળાના આચાર્ય અરવિંદ મકવાણા દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.ઉપરાંત કાર્યક્રમના અંતે શાળાની તમામ વિદ્યાર્થીનીઓ તથા શિક્ષકો દ્વારા રંગોના તહેવાર એવા ધૂળેટીની પણ ઉજવણી કરવામાં આવી હતી…..