(જનક રાજા દ્વારા) મોરબી : મોરબી જિલ્લા બ્રહ્મસમાજ મહિલા મંડળ દ્વારા આગામી 29 તારીખે બ્રહ્મસમાજ પરિવાર માટે પરશુરામધામ, નવલખી રોડ ખાતે સમુહ રાંદલનું આયોજન કરેલ છે.
સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળ મોરબી જિલ્લા દ્વારા શ્રીરાંદલ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રીરાંદલ ઉત્સવમાં આચાર્યસ્થાન શાસ્ત્રી જીતેન્દ્રભાઈ ભટ્ટ (પીઠળવાળા) શોભાવશે. આગામી તારીખ 29ને રવિવાર બપોરે 12 કલાકે મહાપ્રસાદ પરશુરામ ધામ, નવલખી રોડ ખાતે તેમજ પૂજા આરંભ બપોરે 7-30 કલાકે, ગોરણી પગ ધોવાનો સમય સવારે 11 કલાકે અને રાંદલમાના ગરબા બપોરે 2-30 કલાકે યોજાશે. સમુહ રાંદલ ઉત્સવમાં દર્શનનો લાભ લેવા તથા ભોજન પ્રસાદમાં પધારવા પ્રમુખ કિરણબેન ઠાકર વતી ભાવિકોને ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.