શરદ એમ.રાવલ.હડિયાણા..


તા- 28 મેં 2022 ના રોજ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે શ્રી સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અને યુરીયાના નેનો લીક્વીડ પ્લાન્ટનું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી નું લાઇવ પ્રસારણ ગામ-હાડીયાના તા-જોડિયાં જી-જામનગર ખાતે યોજવામાં આવેલ હતું…આ કાર્યક્રમ જિલ્લા ના અન્ય 30 ગામ ના લગભગ 900 ખેડૂત મિત્રોને એ પણ લાઈવ પ્રસારણ થી નિહાળ્યું હતું..આ કાર્યક્રમ માં હાડીયાણા સે.સ.મન્ડલી ના પ્રમુખ અને ઇફકો ના RGB મેમ્બર શ્રી મગનભાઈ કાનાણી, હડીયાણા મન્ડલી ના મંત્રી -જગદીશભાઇ ઘેટિયા અને સહ.મંત્રી મુકેશભાઇ કાનાણી ,ગુજકોમાંસોલ પ્રતિનિધિ શ્રી જે.ડી.મેહતા અને ઇફકો ફિલ્ડ ઓફીસર શ્રી બલદેવ ભાઈ સામતિયા હાજર રહ્યા હતાં….


