
મોરબી : સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળ દ્વારા શ્રાવણ માસ નિમિતે પરશુરામ ધામમાં 21 કુંડી હોમાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પૂર્વ ધારાસભ્ય તેમજ બ્રહ્મસમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.
પરશુરામ ધામ મોરબી ખાતે સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળ દ્વારા શ્રાવણ માસ નિમિતે 21 કુંડી હોમાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે મોરબી માળિયાના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.તેમજ હોમાત્મક લઘુરુદ્રના આચાર્ય પદે બાલકૃષ્ણભાઈ ભટ્ટ ધોલેરાવાળા બિરાજમાન થયેલ હતા.
આ કાર્યક્રમને સફળ બનાવા માટે સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળના પ્રમુખ નિલાબેન પંડિત, મહામંત્રી શીતલબેન દવે, ચેતનાબેન, જયશ્રીબેન, હિનાબેન, ભાવનાબેન, પ્રવિણાબેન, નિશાબેન,જિલ્લા મહિલા બ્રહ્મસમાજના પ્રમુખ કિરણબેન ઠાકર,પરશુરામ ધામ ટ્રસ્ટ પ્રમુખ ભુપતભાઈ પંડ્યા, ટ્રસ્ટી અનિલભાઈ મેહતા, જિલ્લા મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટ, નીરજભાઈ ભટ્ટ તેમજ બ્રહ્મસમાજના આગેવાન ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને લઘુરુદ્રનું બીડું સાંજે 5 કલાકે હોમવામાં આવ્યું હતું. તે બાદ તમામ બ્રહ્મબંધુએ મહાપ્રસાદ સાથે લીધેલ હતો.
