• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી નગરપાલિકા વોર્ડ નં 3 માં વરસાદી પાણી ના ભરાવવા ના કારણે જેન ઘર્મ માં માનનાર લોકો દેરાસર માં જય સકતા નથી .મહેશ રાજ્યગુરુ*

મોરબી નગરપાલિકા વોર્ડ નંબર ત્રણમાં જ્યાંથી પાલિકાના ઉપપ્રમુખ અને ચારેય સદસ્યો ભાજપના ચૂંટાયેલા છે તે વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વરસાદી પાણી જૈન દેરાસર પાસે ભરાયેલ છે

હાલ જૈન ધર્મના લોકોનો પ્રજુષણનું પર્વ પણ શરૂ થઈ ગયું છે અને આ વરસાદી પાણીના નિકાલના અભાવે જૈન દેરાસર ની આસપાસ અને અરુણોદય નગર પાસે પાણી ભરાઈ રહેલ છે નગરપાલિકા તરફથી તેમનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી જેના કારણે જૈન ધર્મમાં માનનારા લોકો દેરાસર ની અંદર પૂજા અર્ચના કરવા જઈ શકતા નથી જૈન સમાજની આના કારણે લાગણી દુભાઈ રહેલી છે પરંતુ આતો ભાજપ શાસિત નગરપાલિકા એને તો મનમાં આવે અને મતની લાલચ હોય તો જ કામ કરવામાં માને છે લોકો ભલે પરેશાન થાય આપણે આપણું કામ કર્યા કરો એવું ધારીને ચૂંટાયેલા લોકોએ લોકોના પ્રશ્નો આગળ આવવું જોઈએ ગયા વર્ષે પાણીના નિકાલ માટે જે પાઇપો નાખવામાં આવેલા તે પાઇપો હાલ ત્યાંથી કાઢી લેવામાં આવેલ છે જો ખરેખર પાણીનો નિકાલ કરવો હોય તો જ્યાં ઉમા ટાઉનશીપ ને પાણી પૂરું પાડતી ટાંકી બનાવેલ છે ત્યા જે ફરતી દીવાલ બનાવેલ છે તેને દૂર કરી કરી સી ચેનલ બનાવી કાયમી વરસાદી પાણી નો નિકાલ કરવો જોઈએ એમ આ વિસ્તાર વતી અમારી લાગણી અને માંગણી છે તેમ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ ના મહા મંત્રી મહેશ રાજ્યગુરુ ની યાદી જણાવે છે

Related posts

લગ્ન સમારંભો બાબતે સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢતા સરકાર સફાળી જાગી, લીધો મોટો નિર્ણય

Hello Morbi

*કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામ માં પી.જી.વી.સી.એલ.નું તંત્ર કથળતા પરેશાની*

Hello Morbi

*ધ્રોલ ખાતે બાળકો દરિયાઈ જીસૃષ્ટિ વિશે જાણતા થાય તે ઉદ્દેશ થી ટૂર નું આયોજન કરાયું*

Hello Morbi

Leave a Comment