
મોરબી : શહેરના ઉમા ટાઉનશિપ મુકામે આજે પ્રધાનમંત્રીના જન્મદિવસે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની ઉપસ્થિતિમાં આયુષ્ય યજ્ઞનું આયોજન કરાયું હતું.
આજે 17 સપ્ટેમ્બર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 72માં જન્મદિવસે તેમના લાંબા આયુષ્ય માટે ભાઈશ્રી પૂજ્ય રમેશભાઈ ઓઝાના સાનિધ્યમાં આયુષ્ય યજ્ઞ યોજાયો હતો. આ યજ્ઞમાં મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા. આયુષ્ય યજ્ઞ સાથે 72 કિલોગ્રામ સુખડીની કેક ઉપરાંત 72 ટન સુખડી વિતરણનું પણ આયોજન કરાયું હતું.
