
“મન હોય તો માળવે જાય” એ ઉક્તિને ડાંગર કરણ એ સાર્થક કરી બતાવી છે. ગામડાની સરકારી શાળામાં અભ્યાસ કરીને હાલ જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-9 મા અભ્યાસ કરતા ડાંગર કરણ રણધીરભાઈ એ જી.એસ.ઈ.એસ.જીયો જુનિયર યુ.પી.એસ.સી.ની પરીક્ષા પાસ કરીને ડાંગર પરિવાર,સમગ્ર આહિર જ્ઞાતિ તથા મોટી બરાર ગામ અને મોરબીનું ગૌરવ વધારેલ છે. ભવિષ્યમાં UPSC ની પરીક્ષા પાસ કરીને પ્રમાણિક અધિકારી બને એવી સૌ સ્નેહીજનો તરફથી શુભેચ્છાઓ પાઠવે છે.
