પ્રતિ, તા. ૦૯/૧૦/૨૦૨૨.
કલેકટર શ્રી
મોરબી જીલ્લા મોરબી
વિષય :- મોરબી શહેર માં ઠેરઠેર જામેલા ગંદકી અને કચરા ના ઢગલા ઓ દુર કરાવીને
માંદગી ફેલાતી અટકાવવા યોગ્ય કરવા બાબત.
મહેરબાન સાહેબ શ્રી
જય ભારત શાથ ઉપરોક્ત વિષય અન્વયે સવિનય જણાવવાનું કે ચાલુ સાલે ચોમાસા માં અતી વૃષ્ટિ થી લોકોએ ખુબજ પરેશાની ભોગવેલ છે. હજુ પણ ઘણી જગ્યાએ પાણી ભરાયેલ પડેલા છે. જેનો કોઈ નીકાલ કરવામાં આવેલ નથી.
આવી જ રીતે મોરબી શહેર માં ઠેર ઠેર ગંદગી ફેલાયેલી છે. તેમજ કચરા ના ઢગલા ઓ પડેલ છે. આના કારણે મચ્છર તેમજ અન્ય જીવ જંતુઓ નો ત્રાસ વધેલો છે. અને શહેર માં હાલમાં મચ્છર તેમજ પાણી જન્ય રોગો ખુબજ ફેલાયેલ છે.
જેમાં ડેન્ગ્યું, મલેરિયા,ટાઈફોડ,ઝાડા, ઉલ્ટી વગેરે પ્રકાર ના રોગો ફેલાયેલ છે. હોસ્પિટલો માં દર્દી ઓ નું કીડીયારું ઉભરાયું હોય તેવો માહોલ છે.
તો અમારી આપ સાહેબ ને વિનતી કે આપ શ્રી યોગ્ય આદેશો આપીને મોરબી ની જનતા ને આ નર્કજેવી પરિસ્થિતિ માંથી ઉગારવા યોગ્ય કરશો.
આપના સ્નેહાધીન
(કાન્તિલાલ ડી. બાવરવા)
જનરલ સેક્રેટરી
ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન
નકલ સાદર રવાના :-
(૧) પ્રતિ મુખ્ય મંત્રી શ્રી ભુપેદ્નભાઈ પટેલ સાહેબ, ગુજરાત રાજ્ય, નવા સચિવાલય ગાંધીનગર
તરફ જાણ તેમજ યોગ્ય આદેશો કરવા વિનંતી.
(૨) પ્રતિ શ્રી સુખરામભાઈ રાઠવા સાહેબ , નેતા શ્રી પ્રતિ પક્ષ ગુજરાત વિધાનસભા નવા
સચિવાલય ગાંધી નગર તરફ જાણ તેમજ યોગ્ય રજૂઆત કરવા વિનંતી.
(૩) પ્રતિ મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા સાહેબ . શ્રમ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર નવા
સચિવાલય ગાંધીનગર તરફ જાણ તેમજ ખરેખર કામ થાય તે માટે યોગ્ય આદેશો કરવા
વિનંતી સહ.
(૪) પ્રતિ માનનીય શ્રી જગદીશભાઈ ઠાકોર સાહેબ ,પ્રમુખ શ્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ
રાજીવ ગાંધી ભવન, એલિશબ્રીજ અમદાવાદ, તરફ જાણ તેમજ યોગ્ય રજૂઆત કરવા વિનંતી સહ.
(૫) પ્રતિ શ્રી ચીફ ઓફિસર શ્રી મોરબી નગરપાલિકા મોરબી તરફ જાણ તેમજ તાત્કાલિક યોગ્ય
કાર્યવાહી કરવા વિનંતી સહ.
