
*પ્રવર્તમાન વર્ષે પણ વિશેષ વ્યક્તિઓ દ્વારા કેક કટીંગ નુ અનેરુ આયોજન*
*છેલ્લા ૧૨વર્ષ દરમિયાન ઉપસ્થિત રહેલ વિશેષ વ્યક્તિઓ*
૧. મનોવિકલાંગ બાળકો
૨. થેલેસેમિયાગ્રસ્ત બાળકો
૩. અંધજનો
૪. ભિક્ષુકો
૫. શહીદ પરિવાર
૬. વૃધ્ધાશ્રમ ના વડીલો
૭. અનાથાશ્રમ ની બાળાઓ
૮. કીન્નરો
૯. મહીલા ટ્રાફીક બ્રિગેડ
૧૦. શારીરીક વિકલાંગ આત્મનિર્ભર મહીલાઓ
૧૧. કોરોનાગ્રસ્ત મૃતદેહો ના અંતિમ સંસ્કાર કરનાર ફાયર બ્રિગેડ ના જવાનો.
૧૨. હોટેલ માં કામ કરતી પરપ્રાંતિય મહીલાઓ
*શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે યોજાનાર સપ્તવિધ કાર્યક્રમો*
પ્રભાત ધૂન, અન્નકુટ દર્શન, પૂ.જલારામબાપા નુ પૂજન,વૈદિક યજ્ઞ, વિશેષ વ્યક્તિઓનાં હસ્તે કેક કટીંગ, મહાઆરતી તથા બપોરે મહાપ્રસાદ.
પ્રવર્તમાન વર્ષે પણ સવારે ૧૧:૦૦ કલાકે વિશેષ વ્યક્તિઓ ના હસ્તે કેક કટીંગ કરી જલારામ જયંતિ ઉજવવા મા આવશે. જે સરપ્રાઈઝ રાખવા મા આવેલ છે. દરેક જલારામ ભક્તો ને પધારવા ભાવભર્યુ નિમંત્રણ છે.
*બપોરે ૩ કલાકે જલારામ મંદિર ખાતેથી સમસ્ત રઘુવંશી સમાજ આયોજીત વિશાળ શોભાયાત્રા પ્રસ્થાન કરશે જે મોરબી ના રાજમાર્ગો પર ફરી દશાશ્રી માળી વણીક જ્ઞાતિ વાડી ખાતે વિરામ લેશે જ્યાં જલારામ જયંતિ ઉત્સવ સમિતી દ્વારા સમસ્ત રઘુવંશી સમાજ જ્ઞાતિ ભોજન યોજાશે.*
