*અહેવાલ અને તસ્વીર આરીફ દિવાન*
“મુખ્ય માર્ગો તો ઠીક નદી નાળા વોકળામાં પણ લીલી છમ વેલ ના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો!”
આપણા દેશના વડાપ્રધાન ગ્રીન ઇન્ડિયા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત દેશના ખૂણે ખૂણેથી ગંદકી કચરા ગંજ દૂર કરી સ્વચ્છતા અંતર્ગત ચિંતક બન્યા છે ત્યારે મોટા ભાગમાં ગુજરાતમાં મહાનગરપાલિકા અને નગરપાલિકાના વિસ્તાર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ રહેવાથી કાદવ કીચડ ગંદકી અને વરસાદના પાણીના નિકાલના અભાવે સ્વચ્છતા અભિયાન જરૂરી બન્યું હોય તેમ ગુજરાતની મોટાભાગની નદીઓમાં નવા નીર પાણીના આવ્યા હોવા છતાં લીલાછમ વેલના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે ત્યારે સ્વચ્છતા ભારત અભિયાન મોરબી શહેર જિલ્લામાં ક્યારે? મોરબી વાંકાનેર ટંકારા હળવદ વિસ્તારમાં સતત સ્વચ્છતાનો અભાવ હોય તેમ ગંદકી કચરાના ગંજ સતત જોવા મળી રહ્યા છે ત્યારે ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ અને જિલ્લા કક્ષાના અધિકારીઓ ખરા અર્થે સ્વચ્છતા ભારત અભિયાન હાથ ધરી પ્રજાના આરોગ્યનું જતન કરીને ગ્રીન મોરબી શહેર જિલ્લા ને કરી સ્વચ્છતા ભારત અભિયાન કરે તેવી તાતી જરૂરિયાત બની છે એક તરફ દેશના વડાપ્રધાન સ્વચ્છ ભારત અભિયાન અને ગ્રીન ઇન્ડિયા ની જાહેરાત કરે છે તો બીજી તરફ ગુજરાતમાં મોરબી શહેર જિલ્લામાં ગંદકી ના ગંજ લોકોના આરોગ્ય માટે જોખમી બની છે મુખ્ય માર્ગો પર ગામડા અને રખડતા ઢોરના કારણે વાહનચાલકો અને વૃદ્ધોને અકસ્માતનો સતત ભય રહે છે ત્યારે જ ના આશીર્વાદ યાત્રામાં પ્રવાસ કરી રહેલા પ્રજા ચિંતક નેતાઓએ પ્રજાને ચિંતા મુક્ત કરીને આશીર્વાદ મેળવવા જોઈએ તે આજના ડીજીટલ યુગ ની લાગણી અને માગણી જન્મી છે અત્રે નોંધનીય છે કે ગંદકી કચરાના ગંજ થી લોકોના આરોગ્યને જોખમમાં રહ્યું છે ડેન્ગ્યુ મેલેરિયા જેવા રોગચાળાનો ભય સતત લોકો માં રહ્યો છે જિલ્લા કક્ષાના અધિકારીઓને ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ પ્રજાલક્ષી કામગીરી કરે તે જરૂરી બન્યું છે