ભાગવત સપ્તાહમાં મોરબીના હતભાગીઓને શ્રધ્ધાંજલી
નરેન્દ્રબાપુ અને ભકતોએ મૌન પાળ્યું
રાજકોટ, તા. 31 : શેઠ હાઇસ્કુલના મેદાનમાં ચાલતી નરેન્દ્રભાઇ સોલંકી આયોજીત ભાગવત સપ્તાહમાં આજે સૌએ મળીને મોરબીની પુલ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા હતભાગીઓને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. નરેન્દ્રબાપુ, વકતા રામેશ્વરબાપુ હરીયાણી અને મોટી સંખ્યામાં શ્રાવકોએ બે મીનીટનું મૌન પાળ્યું હતું. અકાળે મોતને ભેટેલા લોકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી અને પરિવારો પર પણ શ્રી આવી પડેલી આફતમાં ભગવાન હિંમત આપે તેવી યાચના કરી શોક વ્યક્ત કર્યો હતો
