મોરબી તારીખ ૪ હાલ ગુજરાતમાં 2022 ની વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે ચૂંટણી ભયમુક્ત અને ન્યાય વાતાવરણમાં યોજાય તે હેતુથી ગુજરાત રાજ્યના પોલીસવાડાએ સૂચના આપેલ મુજબ કે નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા સ્પેશિયલ ડ્રાઇવ નું આયોજન કરેલું હોય જેના જે અંતર્ગત મોરબી જિલ્લા પોલીસવાળા ના સુચના અને માર્ગદર્શન હેઠળ મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ પ્રયત્નશીલ હતી તે દરમિયાન એલસીબીના જસવંતસિંહ ગોહિલ, પૃથ્વીરાજસિંહ જાડેજા દશરથસિંહ ચાવડા સહિતનાઓને મળેલી બાતમીના આધારે છેલ્લા અઢી વર્ષથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રજીસ્ટ્રેશન ગુના નંબર ૧૦૬૯/૨૦૨૦ વાહન અકસ્માતના ગુનામાં નાસ્તો ફરતો વાહન અકસ્માત નો આરોપી રોહનકુમાર ઉર્ફે શત્રુઘન જગન્નાથ યાદવ મૂળ રહેવાસી ઉરવિસુનપુર તાલુકો માઉ જિલ્લો ગયા (બિહાર) અને હાલ ગાંધીધામ કાર્ગો પીએસએલ કંપનીમાં આવેલ ઓફિસ ની બાજુમાં જિલ્લો ભુજ (કચ્છ) વાળો માટેલ રોડ પર એસી કોન કંપનીમાં ટ્રક લઈ અને લોડિંગ કરવા આવેલ છે તેના આધારે ક્રાઈમ બ્રાન્ચ ના ઇન્ચાર્જ કે જે ચૌહાણ તેમજ ક્રાઈમ બ્રાન્ચ ના પી.એસ.આઇ ચુડાસમા તેમજ ટીમ સહિત ના હોય આરોપીની ધરપકડ કરી હતી અને હાલ તેમના કોવિડ ટેસ્ટ કરવાની જરૂરિયાત લાગતા મોરબી એ ડિવિઝન પોલીસને સોપ્યો હતો
