
ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022 નો પ્રચાર ધીરે ધીરે જોર પકડી રહ્યો છે ત્યારે ઉમેદવારોએ એમની પૂરી તાકાત કામે લગાડી દીધી છે.ઉમેદવારો મંદિરોમાં જઈ પરમાત્માના પણ આશીર્વાદ મેળવી રહેલ છે.ડીસાના ભાજપના ખૂબ જ યુવાન અને ઉત્સાહી ઉમેદવાર પ્રવિણભાઈ ગોરધનજી માળીએ ગુરૂવારે જલારામ મંદિરે જઈ મહાઆરતીમાં ભાગ લીધો હતો અને પૂજ્ય જલારામ બાપાનાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.તેમની સાથે મગનલાલ માળી,રમેશભાઈ દેલવાડીયા સહિતના આગેવાનો જોડાયા હતા.
જલારામ મંદિર ખાતે સર્વ કનુભાઈ આચાર્ય,ભગવાનભાઈ બંધુ,શશીકાંતભાઈ ડી.ઠકકર,તારાચંદભાઈ મજેઠીયા,ભરતભાઈ ભાવિક,શારદાબેન આચાર્ય,આનંદભાઈ પી.ઠકકર,આર.ડી.ઠકકર,મહેશભાઈ ઉડેચા,દિનેશભાઈ ચોકસી સહિતના જલારામ ભકતોએ પ્રવિણભાઈ માળીનું જલારામ દર્શન ગ્રંથ તેમજ પૂજ્ય જલારામ બાપાની પ્રતિમાથી સન્માન કરી અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.
