*HELLO MORBI: ગોઝારી ઝૂલતાપૂલ દુર્ઘટનાની પ્રથમ માસિક પૂણ્યતિથિએ કોંગ્રેસ ઉમેદવાર જયંતીલાલ જેરાજભાઈ પટેલના કાર્યાલય ખાતે યજ્ઞનું આયોજન
મોરબી : મોરબીમાં કોંગ્રેસ દ્વારા કાલે બુધવારે ઝૂલતાપૂલ દુર્ઘટનાની પ્રથમ માસિક પૂણ્યતિથિએ શાંતિ યજ્ઞનું આયોજન કરાયું છે.
મોરબીમાં ગોઝારી ઝુલતાપુલ દુર્ઘટનામાં ભોગ બનેલ મૃતકોના દિવ્ય આત્માના શાંતિ અર્થે મોરબી માળીયા વિધાનસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જયંતીલાલ જેરાજભાઈ પટેલના મધ્યસ્થ કાર્યલય ખાતે કાલે તા. ૩૦-૧૧-૨૦૨૩ ને બુધવાર ના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યે શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્યું છે. તેથી તમામ મોરબીવાસીઓ પુલ દુર્ઘટનાના મૃતકોના દિવ્ય આત્માને શાંતિ મળે તે માટે શાંતી હવનમાં ઉપસ્થિત રહેવા કોંગ્રેસ દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.
