સુલતાનપુર શાળા માં છવ્વીશ મી જાન્યુઆરી એટલે કે પ્રજાસતાક દિવસે શાળા પરિવાર, ગ્રામજનો અને વિધાર્થીઓએ સાથે મળી ને આ સોનેરી દિવસ ની ઉજવણી કરી હતી જેમાં સૌ પ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગીત ગાઈ ને ત્યારબાદ સરસ્વતી માની સાધનામાં દિપક પ્રજવલિત કરી ને વિધાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં શાળા ના બધા જ બાળકો એ હોશે હોંશે ભાગ લીધો હતો જેમાં ગરબા,નાટક,નૂત્યો, રાજસ્થાની ગીત, લેઝીમ, ડંબેશ અને યોગાસન જેવા ઘણા સુંદર કાર્યક્રમ થયા હતા અને ગ્રામજનો પણ તેમના બાળકો ને જોવા માટે ઘણી મોટી ભીડ માં આવ્યા હતા આ સાંસ્કૃતિક કાર્યકમ નો આખો જસ ચેતનકુમાર વનાળીયા સામાજિક વિજ્ઞાન ના શિક્ષક ને જાય છે કેમકે તેમનો મુખ્ય સહયોગ હતો અને ગ્રામજનો તરફથી બાળકો માટે સારો એવો ફાળો પણ આવ્યો હતો