
રવાપર તા ૧૬ બીપરજોય વાવાઝોડા ના સંદર્ભે સ્થળાંતરિત કરેલા આશરે ૩૦૦ જેટલા લોકો માટે રવાપર ગામની બંન્ને શાળાઓમાં રહેવા તથા જમવાની વ્યવસ્થા કરવામાં આવી.
આ માટે ગામના સરપંચ નીતિનભાઈ ભાટસણા, જીલ્લા યુવા ભાજપ કો-ઓર્ડીનેટર પરિમલભાઈ ઠક્કર, ડેનિશ ભટાસણા, રોનક બસિયા, હર્ષ દેથરીયા, ચિરાગ દલસાણીયા, રાજેશ પડસુમ્બીયા, રિયાઝ લધડ, વિમલ ચંદ્રોલા, અજય ચાવડાએ જહેમત ઉઠાવેલ હતી.



