
શ્રાવણ સુદ બીજ મહોત્સવ
શ્રી દરીયાલાલ મંદિર નરશીપરા ધ્રાંગધ્રા ખાતે આજરોજ બીજ મહોત્સવની પરમ પૂજય વંદનીય ૧૦૦૮ મહા મંડલેશ્વર સંત શ્રી જાનકીદાસજી બાપુની ઉપસ્થિતિમાં તેઓના આશીર્વચન થી તથા શ્રી બાપા જલારામ સત્સંગ મંડળ સાણંદના યજમાન પદે તથા શ્રી ગોપી સત્સંગ મંડળ વીરાણીપાના ધૂન ભજન સાથે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. મંદિર સમિતિ તરફથી પ્રમુખશ્રી પ્રકાશભાઈ રાજવિર તથા મંત્રીશ્રી જીતુભાઈ કોટક દ્વારા બાપુનું શાલ અને હાર થી સન્માનિત કરી આશીર્વાદ મેળવ્યા હતા સાથે બાપા જલારામ સત્સંગ મંડળ સાણંદના શ્રી રમેશભાઈ ખખ્ખર નું દાદાની પ્રતિ ક્રુતિ,શાલ,હાર થી સન્માનિત કરવામાં આવેલ. શ્રી ગોપી સત્સંગ મંડળ નું ભેટ, ખેસ, હાર થી સદગુરુ મહિલા મંડળ દ્વારા કરવામાં આવેલ વાઘાના યજમાન શ્રી ભરતભાઈ ચુલીવાળાને ખેસથી સન્માનિત કરી બાપુએ આશીર્વાદ પાઠવ્યા હતા. શ્રી રઘુવંશી વેપારી મંડળના ભાઈઓ શ્રી વિશાલ અઢિયા શ્રી હિતેશભાઈ ત્રિકમાણી શ્રી સંજીવભાઈ ગોવાણી શ્રી વિપુલભાઈ પુજારા શ્રી રાજુભાઇ પુજારા સૌએ વંદનીય બાપુ સાણંદ મંડળ તથા સમિતિ નું સન્માન કરેલ મહાજન પ્રમુખ શ્રી સંજયભાઈ ગોવાણી એ બાપુનુ સન્માન સુરેન્દ્રનગર સમસ્ત લોહાણા મહાજન પ્રમુખશ્રી પુનિતભાઈ ગોવાણી એ બાપુના આશીર્વાદ મેળવેલ કરેલ મહેમાનો નું સ્વાગત પ્રમુખશ્રી પ્રકાશભાઈ રાજવિર દ્વારા કરવામાં આવેલ. સમગ્ર સંચાલન મંત્રીશ્રી જીતુભાઈ કોટક દ્વારા કરવામાં આવેલ.
સમિતિના શ્રી પી જે ઠક્કર સાહેબ શ્રી મહેશભાઈ પુજારા શ્રી શરદભાઈ પુજારા શ્રી કાંતિભાઈ પુજારા દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલ.



