
રવિવારે ખોખરા હનુમાન ખાતે સમગ્ર રઘુવંશી સમાજ ની શોર્યગાથા નો ઈતિહાસ ઉજાગર કરતા “રંગ છે રઘુવંશી ને” પુસ્તક નું વિમોચન
લોહાણા સમાજના બારોટ શ્રી નિકુલભાઈ તેમજ અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા દ્વારા રઘુવંશી સમાજની વિવિધ અટકોના શહિદવીરો તથા સતીમાતાઓના ૪૭ પાળિયાની તસ્વીરો સાથે પ્રકાશિત કરતું પુસ્તક નું જે આલેખન કરેલ છે તે પુસ્તક “રંગ છે રઘુવંશી’ નામનું પુસ્તક જેના દૂરા સમગ્ર રઘુવંશી સમાજ ની શોર્યગાથાનો ઈતિહાસ ઉજાગર કરવાનો પ્રયત્ન કરેલ છે તે પુસ્તકનું વિમોચન મોરબી ખોખરા હનુમાન થામ (બેલા) ખાતે તા.૨૭–૮–૨૦૨૩ ને રવિવારે સાંજે ૪ કલાકે મહામંડલેશ્વર શ્રી શ્રી ૧૦૦૮ શ્રી કનકેશ્વરી દેવીજ ના દિવ્ય સાનિઘ્યમાં ૫૧ રૂષીકુમારો દ્નારા વેદ–મંત્રોચ્ચાર અને શોર્ય સંગીત સાથે કંકુ ચોખા અને ફુલ વર્ષા દ્વ્રારા પુસ્તકનું અલૌકીક પુજન કરી વિમોચન કરવામાં આવશે ત્યારબાદ મહાપ્રસાદ નું આયોજન હોય જેમાં સમગ્ર ભારતમાંથી રઘુવંશીઓ ઉમટી પડવાના હોય તો મોરબી ના રઘુવંશી ઓને પધારવા રઘુવંશી વિમોચન સમિતિના સભ્યો રૂચિરભાઈ કારીયા,ચંદ્રેશભાઈ આડઠકકર,પ્રતિકભાઈ રવેશીયા,પ્રવિણભાઈ તન્ના,ધીરૂભાઈ તન્ના તેમજ અશોકભાઈ તન્ના તેમજ તમામ સભ્યો દ્વારા ભાવભર્યું આમંત્રણ છે.


