ધાંગધ્રા તા ૮ શ્રી રઘુવંશી સમાજના નૃત્ય ગોપાલ મંદિર ઘેલડીપા શેરી ધ્રાંગધ્રા ખાતે આવેલ છે ત્યાં છેલ્લા ૨૮ વર્ષથી સમગ્ર શ્રાવણ માસ દરમ્યાન શ્રી રામેશ્વર મંડળ ઘેલડીપા દ્વારા શ્રી શિવ મહિમ્ન સ્તોત્ર પાઠ ધૂન ભજન કરવામાં આવે છે શ્રી ગોકુળ અષ્ટમી ના શુભ દિવસે મંદિરે ભવ્ય કુષ્ણ જન્મોત્સવન ધામધૂમથી ઉજવવામાં આવેલ અનેક ભક્તજનો રઘુવંશી સમાજ આગેવાનોની હાજરીમાં નંદ ઘેર આનંદ ભર્યો જય કનૈયાલાલ કી હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કી ના ઘોષ સાથે સૌ ભક્તોએ ભાવ વિભોર બની કાન્હા ના પારણાને ઝુલાવી ધન્યતા અનુભવી હતી – જીતુ કોટક ધ્રાંગધ્રા.