સ્વચ્છતા એજ સેવા’ અભિયાન અન્વયે મોરબીમાં રાજાવડલા ખાતે પાણીનો ટાંકો તેમજ તેની આજુબાજુના વિસ્તારની સાફ-સફાઈ કરવામાં આવી હતી.
‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન હેઠળ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જિલ્લાના જળ સંસાધનો સ્વચ્છ બને નદી-તળાવ સહિતના પાણીના સ્ત્રોત સ્વચ્છ બને અને ત્યાં ગંદકી ફેલાય નહીં તેમજ પાણી પણ સ્વચ્છ બને તેવા હેતુથી પાણીના સ્ત્રોત તેમજ તેમની આજુબાજુના વિસ્તારની સાફ-સફાઈ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે મોરબીમાં રાજાવડલા ગામ ખાતે પાણીનો ટાંકો, હવાડો તેમજ તેની આજુબાજુના વિસ્તારોની સાફ-સફાઈ કરવામાં આવી હતી.