
*ગુજરાતના માન. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી મોરબીના પ્રવાસે*
*રવાપર પાસે આર્યભૂમિ ખાતે આયોજીત ૧૧૦૦ કુંડી મહાયજ્ઞના ઉપસ્થિત રહેશે*
ગુજરાતના માન. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ૨૪ ડિસેમ્બરના રોજ મોરબી જિલ્લાના પ્રવાસે આવનાર છે.
શ્રી આચાર્ય દેવવ્રતજી સવારે ૧૧:૦૦ થી ૧૨:૩૦ દરમિયાન મહર્ષિ દયાનંદ સરસ્વતી દ્વિશતાબ્દી જન્મ-જયંતિ મહોત્સવ સમિતિ, મોરબી દ્વારા આર્યભૂમિ, પ્રભુ રતન પાર્ટી પ્લોટની પાછળ, એસ.પી. રોડ અને ઘુનડા રોડ વચ્ચે, ગામ:- રવાપર, તાલુકો/જિલ્લો મોરબી ખાતે આયોજિત ૧૧૦૦ કુંડી મહાયજ્ઞમાં હાજરી આપશે.
ત્યારબાદ ૦૧:૦૦ થી ૦૩:૦૦ દરમિયાન વરમોરા ફેક્ટરી, 8/એ નેશનલ હાઈવે, ઢુવા, તાલુકા:- વાંકાનેર, જિલ્લો:- મોરબી ખાતે આવેલી વરમોરા ફેક્ટરીની મુલાકાત લેશે.
ત્યારબાદ ૦૩:૦૦ થી ૦૪:૦૦ દરમિયાન વરામોરા ફેક્ટરી ખાતે હાર્વ્સ, આઈઆઈએમટી યુનિવર્સિટી, મેરઠ, નેચરલ ફાર્મિંગ એન્ડ ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા આયોજિત ‘ પ્રાકૃતિક કૃષિ’ પર ૩ દિવસીય વર્ચ્યુઅલ ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં વર્ચ્યુઅલી જોડાશે.
