
પોપટ બેઠો પાંજરામાં તેને ઉડવાનું મન થાય,
નરેન્દ્રભાઈ બેઠા દિલ્હીમાં તોય મળવાનું મન થાય”
આ શબ્દો છે મોરબી તાલુકાના બિલિયા ગામના કેન્સરના દર્દી વનિતાબેન સાણંદિયાના….વનિતાબેનએ થોડા સમય પહેલા મોરબીની આયુષ હોસ્પિટલમાં ચેકઅપ કરાવતા શરીરમાં કેન્સર હોવાની જાણ થઈ હતી. કેન્સરનું નામ સાંભળતા જ પોતે અને પરિવારજનોમાં ચિંતાનું વાતાવરણ સર્જાઈ ગયું હતું. પરંતુ વનિતાબેને મન મક્કમ રાખી કેન્સરને નાબૂદ કરવા જે કાઈ કરવું પડે તે કરવા માટેની તૈયારી બતાવી હતી. પોતાની પાસે પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ હોવાથી રાજકોટમાં નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલમાં સંપર્ક કરી સારવાર અંગે ડોકટરો પાસેથી માહિતી મેળવી હતી.
સતત મહેનત કરી જરૂરિયાતમંદ લોકો માટે યોજનાઓ અમલી બનાવી રહ્યા છે તો આપણા ઘરના આંગણે જ યોજનાઓની ગંગા વહી રહી છે તો કોઈ પણ નાગરિકે પુણ્ય કમાવવાનો મોકો ચૂકવો જોઈએ નહી. એમ કહી લોકોને વધુમાં વધુ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
