
ઉંઝાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કિરિટભાઈ પટેલે થરા જલારામ મંદિરે દર્શનનો લાભ લીધો
ઉંઝાના ખૂબ જ કર્મઠ,જાગૃત તેમજ લોકપ્રિય ધારાસભ્ય શ્રી કિરિટભાઈ પટેલ થરા-તાણાની મુલાકાતે આવ્યા હતા.આ દરમિયાન થરા જલારામ મંદિરની સેવાકીય પ્રવૃતિઓથી મંદિરના ટ્રસ્ટી નિરંજનભાઈ ઠકકરે તેમને વિગતવાર માહિતી આપી હતી.
ધારાસભ્ય કિરિટભાઈ પટેલે સહપરિવાર થરા જલારામ મંદિરે દર્શનનો લાભ લઈ અત્યંત રાજીપો વ્યક્ત કર્યો હતો.જલારામ મંદિર થરાના ટ્રસ્ટી નિરંજનભાઈ અચરતલાલ ઠકકર તેમજ પૂજારીજીએ તેમને આવકારી પૂજ્ય જલારામ બાપાની પ્રતિમાથી તેમનું સન્માન કર્યું હતું.વિધાનસભા ચૂંટણી વખતે જ થરા જલારામ મંદિરે દર્શન કરવાનો તેમનો સંકલ્પ પણ પૂર્ણ થયો હતો.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સબળ તેમજ અડગ નેતૃત્વમાં ભારત સમગ્ર વિશ્ર્વનું રાહબર બની વિશ્ર્વગુરૂ બને તેવી ઈચ્છા સાથે તેમણે પૂજ્ય જલારામ બાપાનાં દર્શન કરી થરા જલારામ મંદિરની સેવાભાવી ટીમને અભિનંદન આપ્યા હતા.

