• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

ગુજરાતમાં આ જિલ્લામાં ભીડભાડવાળી જગ્યાથી આવાતા લોકોનો ફરજીયાત થશે રેપિડ ટેસ્ટ, કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું

રાજ્યમાં વધી રહેલા કોરોનાના સંક્રમણને લઈને ભાવનગર જિલ્લા કલેકટરે જાહેરનામુ બહાર પાડ્યું છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા તહેવારો દરમિયાન બજારોમાં ખરીદી કરવા ગયેલા અને ભીડભાડવાળી જગ્યાથી આવતા લોકોનો રેપિડ ટેસ્ટ ફરજીયાત બનાવ્યો છે.

કલેકટરે તમામ જનસેવા કેંદ્ર પર રેપિડ ટેસ્ટ શરૂ કરવા આદેશ કર્યો છે. કલેકટરે સંક્રમિત લોકો વધુ લોકોને સંક્રમિત ન કરે તે માટે જનતાને ટેસ્ટ કરાવવા અપીલ કરી છે. આગામી 10 દિવસ સુધી જિલ્લાના તમામ જનસેવા કેંદ્ર પર ટેસ્ટ કરવામાં આવશે.

તો રેપિડ ટેસ્ટમાં પોઝિટીવ આવનારા દર્દીઓને જરૂર જણાય તો તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની વ્યવસ્થા કરવાના પણ આદેશ કર્યા છે.

નોંધનીય છે કે, દિવાળીના વેકેશનમાં ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા એક હજાર 281 પોઝિટીવ કેસ નોંધાયા છે. નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ શહેરમાં 207, સુરતમાં 181,વડોદરામાં 104, રાજકોટમાં 96, જામનગરમાં 17, ભાવનગરમાં 12, જૂનાગઢમાં 11 અને ગાંધીનગર શહેરમાં કોરોનાના નવા 38 પોઝિટીવ કેસ નોંધાયા છે.

Related posts

*જોડીયા પંથક માં કેનાલ માંથી પાણી સંગ્રહ કરી તળાવ ભરવા ખેડૂતો દ્વારા મિટિંગ યોજાઈ*

Hello Morbi

*HELLO MORBI:મોરબી જિલ્લામાં ભારે વરસાદને કારણે આવતીકાલે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ બંધ રહેશે*

editor

*મોરબી ના સર્વે રઘુવંશી ભાઈઓ-બહેનો જોગ મોરબી લોહાણા મહાજન વાડી અંગે શ્રી લોહાણા મહાજન-મોરબી ની યાદી*

Hello Morbi

Leave a Comment