
મોરબી તા ૯ : મોરબીમાં રઘુવંશી પરિવારના ત્રણ સદગતોની આત્માની શાંતિ અર્થે આવતીકાલે શનિવારે રાત્રે ભજન કિર્તનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરેક જ્ઞાતિજનોને પધારવા નિમંત્રણ અપાયું છે.
રઘુવંશી યુવક મંડળ – મોરબીના ભુતપુર્વ પ્રમુખ સ્વ. હરેશભાઈ દેવચંદભાઈ કાનાબાર (ઉ.વ.૫૭) તેમના ધર્મપત્ની સ્વ. વર્ષાબેન હરેશભાઈ કાનાબાર (ઉ.વ.૫૫) તેમજ પુત્ર સ્વ. હર્ષ હરેશભાઈ કાનાબાર (ઉ.વ.૧૯) નું તા. ૭ને મંગળવારના રોજ નિધન થયું છે. તેમના આત્માની શાંતી અર્થે “હરિ સ્મરણ” (ભજન કિર્તન)નું તા.૧૦ના રોજ રાત્રે ૯-૩૦ કલાકે જલારામ પ્રાર્થના મંદીર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
