શ્રી મહા મંડલેશ્વર કનકેશ્વરીદેવી માં સહિત સૌરાષ્ટ્ર કરછ ગુજરાત ના સાધુ સંતો મહંતો દશનામ સંગઠનો એ આરતી ને બિરદાવી લાભ લેવા અનુરોધ કર્યો.
રાજકોટ કાલાવડ ના રહેવાસી અને કથાકાર કે પી બાપુ ગોસ્વામી ને કૌશિકગીરી ના સ્વર માં મધુર સંગીત માં ગવાયેલી ને લેખક દેવાંગગીરી ગોસ્વામી હસ્તે લખાયેલી જે સમગ્ર દશનામ ગોસ્વામી સમાજ માટે પ્રેરણાસ્ત્રોત એવી આરતી દશનામ ની સમાધિ મહિમા સહિત ગાથા રજૂ કરતી આ આરતી સાધુ સંતો મહંતો ના વરદ હસ્તે તા ૨૬/૧૧ ના રોજ લોન્ચ કરવામાં આવી રહી છે આ આરતી ને મહામંડલેશ્વર પૂ શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી શ્રી કંકેશ્વરીદેવીજી જૂનાગઢ પંચ દશનામ જુના અખાડા ના શ્રી બુદ્ધગીરી બાપુ સહિત સૌરાષ્ટ્ર કરછ ગુજરાત ને વિવિધ રાજ્ય ના સંતો ને મહંતો જાણીતા ભજનિક કલાકારો વિવિધ દશનામ ગોસ્વામી સમાજ ના સંગઠનો ધાર્મિક સંસ્થાઓ એ આરતી ને આવકારી ને લાભ લેવા અનુરોધ કર્યો છે.આ આરતી દશનામ ની સાધુ ફિલ્મસ નામની યુ ટ્યુબ ચેનલ પર તા ૨૬/૧૧ ને ગુરુવારે સવારે ૧૦ વાગ્યે રજૂ થશે સમગ્ર દશનામ ગોસ્વામી સમાજે ખાસ જોવા યાદી માં જણાવાયું છે.