
બાલંભા તા ૩ (*લલિત નિમાવત દ્વારા*)બાલંભા દાઢીયારી મેલડી માતાજી મંદિર ઉદાસી આશ્રમ ખાતે લહેર મુની બાપુની તિથિ ઉજવવામાં આવી
આજરોજ તારીખ ૦૩/૦૩/૨૦૨૫ ના રોજ દાઢીયારી મેલડી માતાજી મંદિર ઉદાસી આશ્રમ ખાતે (શાંતિનગર) બાલંભા લહેર મુનિ બાપુ ની પુણ્યતિથિ નિમિત્તે જગ્યાના મહંત શ્રી ભોલે મુની બાપુ દ્વારા ઉજવવામાં આવેલ હતી આ ધાર્મિક પ્રસંગે શ્રી પંચાયતી અખાડા બડા ઉદાસીન(નિર્વાણ) હાઇકોર્ટ મહંત શ્રી સંગમદસજી મહારાજ તથા સંતો મહંતો ની ઉપસ્થિતિ માં લહેર મુની બાપુની તિથિ ઉજવવામાં આવી જેમાં વિશાળ સંખ્યામાં સંતો ભક્તો તેમજ સેવકો દ્વારા ભજન ભોજન સાથે ઉજવવામાં આવી હતી. રાત્રે ધુન ભજનનું પણ આયોજન કરેલ છે


