
એલ ફેલ ઉચ્ચારણ કરનાર જલાબાપાના ધામ વીરપુરમાં નતમસ્તક નહી થાય તો પરિણામ ભોગવવાની તૈયારીમાં રહે ટંકારા રઘુવંશી અગ્રણી ભાવિન સેજપાલ
ટંકારા, તા.૬: રઘુવંશી યુવક મંડળ ટંકારા દ્વારા હોળી-ધુળેટી પર્વને અનુલક્ષીને રસિયા નું આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોહાણા બંધુઓ પરીવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા સાથે અન્ય સમાજના વૈષ્ણવો અને ધાર્મિક લોકો ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં સ્વામી નારાયણ સંપ્રદાયનો સાધુ જલાબાપાના વિશે કરેલ બફાટ
બાબતે સર્વે હિન્દુ ભાઈઓ અને બહેનોએ ખુબ રોષ વ્યક્ત કર્યો હતો અને આવા સાધુઓનૌ ટિપ્પણીથી ભાવિકોના દિલ દુભાયાની વાત સાથે સ્વામી નારાયણ સંપ્રદાયના આ કહેવાતા જ્ઞાનપ્રકાશ પોતાની ભુલની બાપાની જગ્યા વિરપુર આવી માંફી માગવા ટંકારા તાલુકા પંચાયત ના ઉપ પ્રમુખ ચાર્મીબેન સેજપાલના પ્રતિનિધિ ભાવિન સેજપાલે માંગણી ઉચ્ચારી હતી અને વિશેષ જણાવ્યું હતું કે જો તે એવુ નહી કરે તો પછી જોવા જેવી થશે
