• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADLatest-News

*રોટરી ક્લબ ઓફ હળવદે વિચરતી જાતિની વસાહતમાં અજવાળા કર્યા*

” આવો અજવાળા કરીને અંધકારને દૂર ભગાડીયે ”

હળવદ તાલુકાના સુસવાવ ગામથી દોઢેક કિલોમીટર દૂર સરકારી ખરાબામાં છેલ્લા 20વર્ષથી વાંસખોડા કે જે પહેલા વાંસના સુંડલા બનાવવાનું કામ કરતા હતા. એવા વાંઝા સમાજના 10 પરિવારોની 50 જણાની વસ્તી રહે છે. આઝાદીના આટલા વર્ષો બાદ પણ પાયાની અને ખુબજ જરૂરી એવી વીજળી આ લોકો સુધી હજી સુધી પહોચી નથી. જેથી પારાવાર મુશ્કેલીઓ અને અગવડો ભોગવી રહેલા આ નિઃસહાય લોકોના જીવનમાં પડતી તકલીફોમાં રાહત કરવાના હેતુથી
રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા 10 ઝૂંપડાઓમાં સોલાર લાઈટો ફિટ કરી આપવામાં આવી હતી.

આ અંગે રોટરી ક્લબ ઓફ હળવદ પ્રેસીડેન્ટ રાજેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે, સવારથી જ ધંધો કરવા માટે ગામો ગામ જવા નીકળી જતી આ વસ્તીના લોકો જ્યારે સાંજે ઘેર આવે ત્યાં અંધારું થઈ જતું હોય છે. કોઈપણ પ્રકારની અજવાળાં માટેની સુવિધા અત્યાર સુધી નહીં હોવાથી અંધારે જ બહેનો રસોઈ બનાવતી અને પરિવાર પણ અંધારે જ વાળું કરતો હતો. જેમાં હવે મોટી રાહત મળશે. અને રાતના સમયના નાના મોટા કામકાજમાં સુલભતા વધશે. ભણતા બાળકો હવે રાત્રે પણ અભ્યાસ કરી શકશે અને વાંચી શકશે. અત્યારના સમયમાં ખાસ જરૂરી એવો મોબાઈલ જે ચાર્જ કરવા સુસવાસ ગામમાં જવું પડતું હતું. અને ચાર્જ થાય ત્યાં સુધી રાહ જોઇને બેસી રહેવું પડે અથવા મુકવા જવાના અને લેવા જવાના ધક્કા ખાવા પડતા હતા. જે હવે ઘરે બેઠા મોબાઈલ ચાર્જ કરી શકાશે. રાતના સમયે અંધારામાં જીવ, જંતુ કે વીંછી કરડવાના બનાવો અગાઉ બન્યા છે. જેમાં હવે બચાવની અને જીવના જોખમની શકયતાઓ ઘટશે.

વધુમાં આ સોલાર કિટમાં 3 એલઈડી બલ્બ આવતા હોય ઝૂંપડાના અંદરના ભાગમાં અને બહારના ભાગમાં જરૂરી અજવાસમાં ખુબજ અસરકારક અને ઉપયોગી સાબિત થશે. આ સોલાર સિસ્ટમમાં એકી સાથે 3 બલ્બ ચાલુ કરી શકાય છે. જે 6 કલાક સુધી સતત ચાલુ રહે છે. જો ફક્ત એક બલ્બનો ઉપયોગ કરવામાં આવે તો 16 કલાક સુધીનું બેકઅપ મળે છે. આમ આવા નાના મોટા અનેક પ્રકારના ફાયદાઓ અને સગવડતા ફક્ત સોલાર લાઈટો લગાવી દેવાથી આ જરૂરતમંદ પરિવારોને પ્રાપ્ત થશે. આ પ્રોજેક્ટ જનકભાઈ પી. રાવલ અને ચિતરંજનભાઈ અંબાશંકરભાઈ શાસ્ત્રી, વડોદરાના આર્થિક સહયોગથી કરવામાં આવ્યો હતો.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જૂનાગઢ પત્રકાર એકતા પરિષદ ની મિટિંગ પ્રદેશ અધ્યક્ષ ની હાજરીમાં મળી*

editor

*ટંકારા:પ્રખર ધારા શાસ્ત્રી અતુલભાઈ ત્રિવેદી અને સિરાજભાઈ અબ્રાણી ની ધારદાર દલીલોથી એટ્રોસિટી કેસમાં કોર્ટ મેળામાં રમકડાના વેપારીનો જામીન પર છુટકારો*

Hello Morbi

*ટંકારા આગામી તાલુકા જીલ્લા પંચાયત ની ચૂંટણી ને લય ને શિક્ષકો ની ઓફીસ કામગીરી ના હુકમ અંગે મામલતદાર સમક્ષ રજૂઆત કરાઇ*

Hello Morbi

Leave a Comment