
મોરબી: મોટા રામપર ગામે હનુમાનજી જન્મોત્સવ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે
(*પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી દ્વારા*)ટંકારા ના મોટા રામપર ગામે બિરાજતા સ્વયંભૂ શ્રી નારીચાણીયા હનુમાનજી મહારાજ ના સાનિધ્ય માં દર વર્ષ ની જેમ આ વર્ષે હનુમાનજી જન્મોત્સવ ચૈત્ર સુદ પૂનમ ને શનિવાર તારીખ 12/4/2025ના, રોજ હર્ષ ઉલ્લાસ સાથે ધામ ધુમપુર્વક ઉજવવા માં આવશે આવશે યજ્ઞ બટુક ભોજન બ્રહ્મ ચોરાસી તથા સમૂહ મહાપ્રસાદ નુ આયોજન કરવામાં આવ્યું છે તો દરેક ગામજનો, સેવકગણ, તથા ધર્મ પ્રેમી જનતાને દર્શન તથા મહા પ્રસાદ નો લાભ લેવા વિનંતી યજ્ઞ સવારે સાત વાગ્યે બટુક ભોજન સવારે નવ વાગ્યે બ્રહ્મ ચોરાસી તથા સમૂહ મહા પ્રસાદ બપોરે અગ્યાર કલાકે રાખેલ છે આ આયોજન ગામજનો તથા સેવક ગણ તથા ધર્મ પ્રેમી જનતાને દર્શન કરવા તથા પ્રસાદ લેવા પધારવા જગ્યાના મહંત ભરતદાસબાપુ કુબાવત ની યાદી માં જાણવામાં આવ્યું છે
