
સ્નેહી શ્રી કૌશીકભાઈ કોટક
શ્રી પડધરી લોહાણા મહાજન દ્વારા નવનિર્મીત દરિયાલાલ મંદિરમાં શ્રી રામચંદ્રજી પરિવાર, શ્રી જલારામ બાપા, શ્રી દરિયાલાલ દેવ, શ્રી રાધા કૃષ્ણ, ૫.પૂ.શ્રી સદગુરૂ દેવ ૧૦૦૮ શ્રી રણછોડદાસજી મહારાજ, શ્રી ગણેશજી, શ્રી હનુમાનજી મહારાજના દિવ્ય સ્વરૂપોની ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ હોય જેમાં ઉપસ્થિત રહેવા આપનું ભાવભર્યું આમંત્રણ મળેલ, આભાર.
અનિવાર્ય સંજોગોના કારણે હું આપના દ્વારા આયોજીત ઉપરોકત પ્રાણ પ્રતિષ્ઠાના ધાર્મિક પ્રસંગમાં ઉપસ્થિત રહી શકીશ નહી તો દરગુજર કરશો જેથી આ કાર્યક્રમની સફળતા માટે આપને તથા આપની સમગ્ર ટીમને આ પત્ર દ્વારા શુભેચ્છા પાઠવુ છું.
આપનો
જીતેન્દ્ર એચ. લાલ (જીતુ લાલ)
