
મોરબી ના ફાટસર ગ્રામપંચાયત બિનહરીફ
તા.9/6/2025
આજરોજ મોરબી તાલુકાના ફાટસર ગામના સર્વેજનો ની સભા રાખવામાં આવેલ ત્યારે ગામના આગેવાનો દ્વારા ફાટસર ગ્રામપંચાયત ના સરપંચ તરીકે ચંદુભાઈ આંબાભાઈ પરમાર ના નામ પર મહોર મારવા માં આવતા નવા સરપંચ તરીકે ચંદુભાઈ આંબાભાઈ પરમાર નું સરપંચ સહિત તમામ સભ્યો નો ફોમ ભરીને આપવામાં આવેલ હતા નવા સરપંચ સામે અનેક પડકારો સામે ઉભા છે જે પૈકી ના જીવન જરૂરિયાત મા ફાટસર ના પોણા ગામને પીવાનું પાણી નથી મળતુ સ્ટ્રીટલાઈટો નો અભાવ ડ્રેનેજ લાઈનો નો અભાવ ઠેરઠેર ગામમાં તેમજ વાડા ઓ સરકારી અર્ધ સરકારી જમીનો પર દબાણો જેવા જટિલ પ્રશ્નો ઉભા છે ત્યારે સરપંચ તરીકે ની કામગીરી કેવી કરે છે તે જોવાનું રહ્યું(*લલિત નિમાવત દ્વારા*)
સરપંચ શ્રી ચંદુલાલ આંબાભાઈ પરમાર
સભ્યો-
૧. શ્રી શૈલેષભાઈ રતિલાલ પરમાર
૨.શ્રી સિધરાજસિંહ દિલુભા જાડેજા
૩.શ્રી જયપાલસિંહ રઘુવીર સિંહ
જાડેજા
૪. શ્રી દિલીપભાઈ રતિલાલ ગજીયા
૫.શ્રી મતી કાશ્મીરાબેન ચેતનભાઈ રાઠોડ
૬.શ્રી મતી સરોજબેન ભીમજીભાઈ રાઠોડ
૭. શ્રી મતી દક્ષાબેન નિર્મલભાઈ રાઠોડ
૮.શ્રી મતી ધર્મિષ્ઠાબા દેવરાજસિંહ જાડેજા
