
જોડીયા: ૨૬ જોડીયા તારીખ 24.07.2025 ગુરૂવારના રોજ જોડિયા તાલુકા પંચાયત ખાતે જોડિયા તાલુકા તલાટી મંડળ દ્વારા નવ નિયુક્ત 26 સરપંચોનું સાલ ફુલહાર અને મોમેન્ટો દ્વારા સન્માન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ વતી દામજીભાઈ ચનીયારા ,તાલુકા વિકાસ અધિકારી વિનોદભાઈ ચૌહાણ,ઉપપ્રમુખ મંગાભાઈ, કારોબારી ચેરમેન ભરતભાઈ ખોલિયા હાજર રહેલા હતા.આ કાર્યક્રમમાં જોડિયા તાલુકા તલાટી મંડળના પ્રમુખશ્રી નિલેશભાઈ નાગપરા, સચિવશ્રી રુદ્રદતસિંહ જાડેજા, ઉપપ્રમુખશ્રી હરીશભાઈ ડાંગર,જામનગર જિલા તલાટી મંડળ રાજ્ય કક્ષાના પ્રતિનિધિ વિપુલભાઈ પનારા,જિલા સદસ્ય વિનોદભાઈ લીંબાસિયા અને જોડિયા તલાટી મંડળના તમામ કારોબારી સદસ્યો હાજર રહેલા હતા .આ કાર્યક્રમમાં જોડિયા તાલુકા તલાટી મંડળ દ્વારા ભારે જહેમત ઉઠાવી સફળ બનાવેલ હતો અને સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ભાદરા ગામના તલાટી કમ મંત્રી વિપુલભાઈ પનારા દ્વારા કરવામાં આવેલ હતું અને કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો



