
મોરબી : તા ૨૯ મોરબી શહેર તેમજ આજુબાજુની ગામડાની જનતા માટે આશીર્વાદરૂપ નીવડેલી ૧૯૮૯ થી દર બે માસે રેગ્યુલર યોજાતો કેમ્પ શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત મહેતા કુટુંબ પરિવાર આયોજિત શ્રી ડી. સી. મહેતા સાર્વજનિક ડીસ્પેન્સરી ટ્રસ્ટ-3, નવાડેલા રોડ, મોરબી ખાતે આગામી શનિવાર અને રવિવારે ૧૯૪ મો નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પ યોજાશે.
સ્વ. ઉમિયાશંકર, સ્વ. પ્રભુદાસભાઈ, સ્વ. રતિલાલભાઈ અને સ્વ. શાંતિલાલભાઈ દોશી પરિવાર- મોરબીના સહયોગથી આગામી તારીખ 2 ઓગસ્ટ ને શનિવારે સાંજે 4 થી 7 અને તારીખ 3 ઓગસ્ટ ને રવિવારના રોજ સવારે 9 થી 12 વાગ્યા સુધી ડી. સી. મહેતા ડીસ્પેન્સરી, નવાડેલા રોડ મોરબી ખાતે નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પ યોજાશે. જેમાં મુંબઈના કેન્સર નિષ્ણાંત સર્જન ડો. વિક્રમભાઈ સંઘવી દર્દીઓને વિનામૂલ્યે તપાસીને માર્ગદર્શન આપશે.
કેમ્પનો લાભ લેવા દર્દીઓએ ડીસ્પેન્સરી મેનેજર મયુરભાઈ વોરા મો.નં. 95370 99219 પાસે અગાઉથી નામ નોંધાવવા અને તપાસ સમયે કેશ પેપર્સ સાથે લાવવા મેનેજીંગ ટ્રસ્ટી ભાવેશભાઈ શાહની યાદીમાં જણાવ્યું છે.
