
માનનીય મંત્રિ
શ્રી નિતીન ગડકરીજી
વિષય – નેશનલ હાઇવે ૨૭ ( ૮એ) સર્વિસ રોડ ની ગટર સફાઇ અને રોડ મરામત બાબત.
જય ભારત સાથ જણાવવાનુ કે વિશ્વ વિખ્યાત મોરબી સિરામિક ઉધોગમાંથી ૨૭ નંબર નો હાઇવે પસાર થાય છે. આ હાઇવે પર દૈનિક ૮૦૦૦ ટ્રકની આતાયાત થાય છે. વાર્ષિક ૬૦ હજાર કરોડ નુ ટર્નઓવર ધરાવતા સિરામિક ઉધોગ ની ગતિશક્તિ અવરોધાય છે. હાલ માં ફોરલેન રોડ ની જગ્યા એ ૬ લેન રોડ ની જરૂરિયાત છે.
માળીયા થી વાંકાનેર સર્વિસ રોડ ની ગટર ની સફાઇ આજ દિન સુધી થયેલી નથી. જેના લિધે વરસાદી પાણી રોડ પર ફરી વળે છે તેથી સારો અને ટકાઉ રોડ ની આવડદા ઘટી ને તુટી જાય છે અને ટ્રાફિક ના પ્રશ્નો ઉભા થાય છે. સિરામિક ટાઇલ્સ માટી માંથી બનતી હોય ટાઇલ્સ માં બ્રેકેજ આવે છે.
ઉપરાંત જાણવા મળતી વિગત મુજબ ટ્રક અને ટ્રાન્સપોર્ટ વારા આવતા દિવસો માં આ ખાડા વારા રોડ ને લિધે રોડ નહી તો ટોલ નહી એવા સુત્રો સાથે હળતાલ કરશે તેવી વાતો વહેતી થઇ છે. માટે ત્વરિત આ ગટર ની સફાઇ તથા રોડ ની મરામત તાત્કાલિક કરે તેવી અમારી માંગણી છે.
નકલ રવાના –
નેશનલ હાઇવે ઓથોરિટી
પ્રમુખ શ્રી
મોરબી સિરામિક મેન્યુફેક્ચરિંગ એસોસિએશન
