
મોરબી:તા ૬ મોરબી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ (MCCI) એ ભારત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો GST 2.0 ના નિર્ણય બદલ આભાર વ્યક્ત કર્યો છે. MCCI એ જણાવ્યું છે કે સરકારે ઉદ્યોગ જગતની ચિંતાઓને સંવેદનશીલતાથી સાંભળી છે અને તેના અનેક સૂચનોને સ્વીકાર્યા છે. આ નિર્ણય સરકારના સંવાદ પ્રત્યેના ખુલ્લાપણા અને ઉદ્યોગો સાથે વિશ્વાસનું વાતાવરણ ઊભું કરવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
MCCIના પ્રમુખ જયંતીભાઈ પટેલે જણાવ્યું કે, GST 2.0 માત્ર એક તકનીકી સુધારો નથી, પરંતુ એક વ્યૂહાત્મક આર્થિક નિર્ણય છે. આ સુધારાથી અનિશ્ચિતતા તેમજ અવરોધો ઘટશે, પ્રવાહિતા વધશે અને ઉદ્યોગો તથા ગ્રાહકો બંનેને સશક્ત બનાવશે. તેમણે વધુમાં જણાવ્યું કે, 2047 સુધીમાં વિકસિત ભારત અને વિકસિત ગુજરાતના લક્ષ્યને હાંસલ કરવા માટે આવા સુધારા આવશ્યક છે. MCCI એ જિલ્લાના તમામ વ્યવસાયકારોને આ સુધારાઓનો લાભછેવાડાના ગ્રાહકો સુધી પહોંચાડવા અપીલ કરી છે.
