રાજ્ય સભાના સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સ્વ. અભયભાઈ ભારદ્વાજ ના નિધન થી શોક વ્યક્ત કરતા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખશ્રી દુર્લભજીભાઈ દેથરિયા
રાજ્ય સભાના સાંસદ અભયભાઈ ભારદ્વાજનું ચેન્નઇ ની હોસ્પિટલમાં દુખદ અવસાન થતા દુ:ખ ની લાગણી અનુભવુ છું. અભયભાઈ ના અવસાનથી ગુજરાત ભારતીય જનતા પાર્ટી એ એક કુશળ સંગઠક, સારા વક્તા, કાયદાકીય આલમમાં પ્રખર ધારાશાસ્ત્રી, લડાયક નેતૃત્વ કરનાર તેમજ દેશ, ધર્મ, સંસ્કૃતિ માટે હરહમ્મેશ કટિબધ્ધતા ધરાવતા રાષ્ટ્રપ્રેમી ને ગુમાવ્યા છે.
સ્વર્ગસ્થ અભયભાઈ સૌને સાથે લઈને ચાલનારા સરળ સ્વભાવના વ્યક્તિત્વના ધની હતા. સ્વર્ગસ્થ અભયભાઈના અવસાનથી ભારદ્વાજ પરિવાર તેમજ ભારતીય જનતા પાર્ટીએ એક સન્નિસ્ઠ અને સારા નેતા-કાર્યકર્તા ગુમાવ્યા છે. પરમ ક્રુપાળૂ પરમાત્મા સ્વર્ગસ્થ અભયભાઈ ભારદ્વાજના આત્માને ચિર શાંતિ આપે એવી પ્રાર્થના