
ટંકારા : તા ૩૦ ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ
દેથરીયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરીને વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થયું છે ત્યારે નુકસાનીનો સર્વે કરાવીને સહાય આપવા રજૂઆત કરી છે.
ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યું છે કે, તેઓના મત વિસ્તાર મોરબી, ટંકારા, પડધરી, રાજકોટ તાલુકામાં વરસાદને કારણે ખેડૂતોનો તૈયાર પાક નિષ્ફળ ગયો છે. તેમજ ખેતરોમાં ઉભા પાકને પણ નુકસાન થયું છે. વરસાદના કારણે મોટાભાગના ખેડૂતોના પાક નિષ્ફળ ગયા હોવાથી ખૂબ જ નુકસાની થઈ હોવાની અનેક ખેડૂતો તરફથી રજૂઆતો મળી રહી છે. ખાસ કરીને મગફળી, કપાસ સહિતના પાકોનું મોટાભાગે વાવેતર થયું હોય કમોસમી વરસાદના કારણે પાક નિષ્ફળ જતાં ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે. જેથી ખેડૂતોના હિતને ધ્યાને રાખીને તેઓના મતવિસ્તારમાં સત્વરે નુકસાનીનો સર્વે કરાવી સહાય આપવા રજૂઆત કરવામાં આવી છે.
